પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં
કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબાર ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રી સી.આર.પાટીલજીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજાર થી વધુ મતોથી જંગી સરસાઈ થી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જુલાઇ 2020માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી.શ્રી સી.આર.પાટીલજીએ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા તેમજ મતદારો પ્રત્યે ડોર ટુ ડોર કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી શ્રી સી.આર.પાટીલજીની મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષને ભવ્યથી ભવ્ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી સી.આર.પાટીલ સાહેબે પેજ સમિતિની રચના કરી કાર્યકરો મતદારો સુધી સતત જન સપંર્કમાં રહે અને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજના જરૂરિયાત મંદ વ્યકિતને મળે તેમજ સુપોષણ અભિયાન જેવા જનસેવાકીય કાર્યો કર્યા તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં યુવાનોને ટીકિટ આપવાનું આહવાહન કર્યુ હતું તેમજ એક વ્યકિત એક હોદ્દો જેવી કાર્યપદ્ધતિ અપનાવી કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા.
શ્રી સી.આર.પાટીલજીએ કાર્યકરોને કાર્ય કરવા પ્રેરિત કરવા તેમજ કાર્યકરોના કામ એક સ્થળ પર થઇ શકે તે માટે htÈgtbttk શહેર અને જિલ્લામાં કાર્યાલય બનાવવા માટે ytnTJttnlt કર્યુ હતું. તેમજ વિધાનસભા ચૂંટણી સમયે કાર્યકરોમાં નારાજગી ન રહે અને તેમની સમસ્યા સાંભળવા માટે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ કરી વિઘાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય અપાવામા મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બીંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ તથા સમગ્ર સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓવતી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીને સતત બીજી વખત શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં 46 માં નંબરે સમાવેશ થતા સમગ્ર સુરત શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર હર્ષની લાગણીઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.