સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી

Surat News: સીતાનગર ચોક ખાતે ટ્રાફિક સિગ્નલ નું અમલવારી શરૂ થતા સિગ્નલ નું ટાઈમ મેનેજમેન્ટ બરોબર ન હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જી રહી છે તેમજ આજુબાજુના દુકાનદારોને પણ ખૂબ અગવડતા પડી રહી છે તે ઉપરાંત સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંકશન ની વચ્ચે કોઈપણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ દૂર સુધી યુ ટન લેવા જવું પડતો હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે
તો તેનું પણ નિરાકરણ લાવવું કારણકે સીતાનગર ચોક થી રોંગ સાઈડ ની અંદર 5,000 થી વધારે લોકોની પર કલાકે અવરજવર રહેતી હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો રોંગ સાઈડમાં ચાલે છે તો આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ થાય તે માટે વચ્ચે કોઈપણ એક જગ્યાએ ક્રોસિંગ આપવું જેથી રોંગ સાઈડની સમસ્યાથી અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળી શકે આ માટે આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે આપશ્રી સ્થળ મુલાકાત લઈ ટ્રાફિક સમસ્યા નું યોગ્ય નિરાકરણ લાવવા અરજ કરાઈ છે.