પ્રાદેશિક સમાચાર

અમદાવાદમાં “મહાવિદ્યા” ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ “મહાવિદ્યા” ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ. સંતોષ ગુરુ વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી અને ટેરોટ રીડિંગની મદદથી લોકોંને તેમના જીવનની સુખાકારી અંગે માર્ગદર્શન આપશે. 11 એપ્રિલે સવારે 11-00 કલાકેથી સાંજના 4-00 કલાક દરમિયાન ઇચ્છુક લોકો અહીં આવીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મેળવી શકે છે.

ખૂબ જ જાણીતા વાસ્તુ નિષ્ણાત ડૉ. સંતોષ ગુરુ લોકોની ચોક્કસ જરૂરિયાતો અને ચિંતાઓને અનુરૂપ વ્યક્તિગત આંતરદૃષ્ટિ અને ભલામણો પ્રદાન કરીને યોગ્ય સલાહ આપશે. હેલ્થ, રિલેશનશિપ, કરિયર દરેકને સબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આ ફ્રી કન્સલ્ટેશન ઉપયોગી સાબિત થશે.

જેમને પ્રોપર્ટી રીલેટેડ પ્રશ્નો છે તેમણે ઘર, ઓફિસ, ફેક્ટરીનો નકશો સાથે લાવવાનો રહેશે અને જેમને જન્માક્ષર બતાવવા હોય તેમણે જન્માક્ષર સાથે લાવવા.

ફ્રી વાસ્તુ કન્સલ્ટેશનનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ 9274033733 નંબર પર સંપર્ક કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button