ધર્મ દર્શન

પ્રયાગરાજ પહોંચ્યા અનુપમ ખેર

પ્રયાગરાજ પહોંચ્યા અનુપમ ખેર

અનુપમ ખેર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી ભાવવિભોર થયા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર મહાકુંભમાં પહોંચ્યા. તેમણે સંગમમાં ડૂબકી લગાવી. ગંગામાં સ્નાન કરતી વખતે અનુપમ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષે આજના દિવસે જ તેમની આંખોમાંથી આ રીતે આંસુ નીકળ્યા હતા. સ્નાનનો વીડિયો શેર કરતા, અનુપમ ખેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “મહાકુંભમાં ગંગા સ્નાન કરીને જીવન સફળ બન્યું!! મા ગંગા, યમુના અને સરસ્વતી જ્યાં મળે છે ત્યાં પહોંચ્યા પછી મેં પહેલી વાર મંત્રોનો જાપ કર્યો! પ્રાર્થના કરતી વખતે આંખોમાંથી આપમેળે આંસુ વહેવા લાગ્યા. સંયોગ તો જુઓ! બરાબર એક વર્ષ પહેલાં આજના દિવસે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પણ કંઈક આવું જ બન્યું હતું! સનાતન ધર્મની જય. ઉલ્લેખનીય છે કે, ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે અનુપમ ખેરે પણ તેમાં ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button